GST રિટર્ન ફાઈલ નહિ કરનારા વિરુદ્ધ મોદી સરકાર કરશે કાર્યવાહી જાણો

GST રિટર્ન ફાઈલ નહિ કરનારા વિરુદ્ધ મોદી સરકાર કરશે કાર્યવાહી જાણો

GST રિટર્ન ફાઈલ ન કરનાર વેપારીઓ વિરુદ્ધ મોદી સરકાર મોટી કાર્યવાહી કરવા તૈયારી કરી રહી છે સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટેક્સેન્સ એન્ડ કસ્ટમ્સ વિભાગ દ્વારા તમામ ઝોનલ કમિશનરોને આદેશ અપાયો છે કે આગામી અઠવાડિયાની અંદર તમામ એવા વેપારીઓ પર દરોડા પાડવા જેમણે GST રિટ્ન નથી ભર્યા. તે તમામ વેપારીઓને નોટિસ પાઠવવામાં આવશે અને આ નોટિસમાં કાર્યવાહીની વિગતો જણાવવામાં આવી છે. કે CGST ની સેક્શન 29 અંતર્ગત રિટર્ન ન ફાઇલ કરનારા વેપારીઓનું GST રજિસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે.
GST નહીં ભરનારા વિરુદ્ધ સરકાર આકરા પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. એ તમામ વેપારીઓના GST રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે જેમણે રિટર્ન ફાઇલ કર્યુ નથી. અગાઉ સરકારે નિર્દેશ આપ્યા હતા કે જે લોકોએ બે કે તેથી વધારે વાર રિટર્ન નથી ભર્યા તેમના ઈ - વે બીલ જનરેટ થવાનું બંધ થઈ જશે. વેપારીના ઈ - વે બીલ બંધ થશે અને તેમના રજિસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે છે. ઇનડાયરેક્ટ ટેક્સ વિભાગે જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા તા 25 નવેમ્બર સુધીમાં સમાપ્ત કરી દેવી. એટલે કે તા 25 નવેમ્બર સુધીમાં ટેક્સની નોટિસ આવશે જે દરમિયાન રજિસ્ટ્રેશન કેન્સલ થશે. હાલમાં દેશમાં આશરે 1.25 કરોડ જીએસટી રજિસ્ટ્રેશન છે જેમાં 20 ટકા એવા છે જે નૉન ફાઇલર છે એટલે કે તેઓ રિટર્ન ભરતા નથી.