વાયુ પ્રદુષણને કારણે ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ

વાયુ પ્રદુષણને કારણે ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ

બિહારમાં વધતા વાયુ પ્રદુષણને પગલે બિહાર સરકારે ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. બિહાર મંત્રીમંડળની બેઠકમાં વર્ષ 2021થી ક્રમબદ્ધ રીતે પટના અને તેની આસપાસના વિસ્તારોમાં ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવને મંજુરી અપાઈ છે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં કુલ 12 પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી છે. બેઠક બાદ પરિવહન વિભાગના સચિવ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું કે બેઠકમાં પરિવહન વિભાગ અંતર્ગત શહેરી ક્ષેત્રની એમ્બિયન્ટ એયર ક્વોલિટીમાં સુધાર અને પ્રદુષણ રહિત વાહનવ્યવહાર માટે ક્રમબદ્ધ રીતે પ્રતિબંધ લગાવવાની મંજુરી અપાઇ છે. તા 31 જાન્યુઆરી, 2021ની મધ્યરાત્રિથી પટનાનગર નિગમ તથા તા 31 માર્ચની મધ્યરાત્રિથી દાનાપુરનગર પરિષદ, ફુલવારીશરીફનગર પરિષદ, ખગૌલનગર પરિષદ ક્ષેત્રમાં ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને મંજુરી અપાઇ છે. આ ક્ષેત્રોમાં સીએનજીથી ચાલતી અને બેટરીવાળા વાહનોના પરિવહનને પ્રોત્સાહન આપવા માટે 'બિહાર સ્વચ્છ ઇંધણ યોજના, 2019 ને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે.