સુરત : જાહેર સ્થળો પર હોળી અને ધુળેટીના પર્વની ઉજવણી ન કરવા અપીલ

સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે વધતા કોરોનાને લઈ સુરત મહાનગર પાલિકા કમિશનર દ્વારા શહેરીજનોને જાહેર સ્થળો પર હોળી અને ધુળેટીના પર્વની ઉજવણી ન કરવા માટે અપલ કરાઈ છે. તો વધતા કોરોનાને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક આયોજનો પણ કરાઈ રહ્યા હોવાનું જણાવ્યુ હતું.
હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. તો બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર પણ સુરતમાં આવી હોય જેને લઈ કોરોના સંક્રમણના કેસોમાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર હોળી અને ધુળેટીના તહેવારોમાં જાહેરમાં ઉજવણી ન કરવા માટે પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા શહેરીજનોને અપીલ કરાઈ રહી છે. ઘરે જ સાદાઈથી તહેવાર ઉજવવાની અપિલ કરી કોરોના સંક્રમણ ન વધે તે માટે એકબીજાને કલર ન લગાડવા જણાવ્યુ હતું. સાથે કોરોનાને લઈ ચેક પોસ્ટ પર ટેસ્ટીંગ વધારાયુ હોવાનું અને સતત સ્કુલ કોલેજ તથા કાપડ માર્કેટમાં સંક્રમણ વધતા 20 કરતા વધુ ટીમ 12 હજાર કરતા વધુ રોજ ટેસ્ટીંગ કરી રહી છે. તો શનિવાર અને રવિવારના રોજ અઠવા ઝોનમાં આવતા તમામ મોલ અને હોટલો બંધ રાખવા પણ અપીલ કરાઈ છે. તો મોટાભાગની હોટલો દ્વારા માત્ર પાર્સલ સેવા આપવાની જાહેરાત પણ કરી છે.
સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે યુકે અને આફ્રિકન સ્ટ્રેઈનના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ પણ દોડતુ થયુ છે. અને લોકોને શોસીયલ ડિસ્ટન્સીંગ સાથે માસ્ક પહેરવા અંગે અપિલ કરી રહ્યું છે.