Banaskantha : ધાનેરાના અંબાજી મંદિર ખાતે ગરબાનું આયોજન કરાયું

ધાનેરા ના અંબાજી મંદિર ખાતે માતાજી આરતી કરી કોરોના ગાઈડલાઈન નું ઉલઘન ન થાય તે બાબત નું ધ્યાન રાખી ગરબા નું આયોજન કરવામાં આવ્યું
દર વર્ષે ધાનેરા ના અંબાજી મંદિર ખાતે અંબાજી નવયુવક ના આયોજક જયેશભાઇ સોલંકી સહિત તેમની ટિમ દવરા ભવ્ય ગરબા નું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના ને લઈ ગરબા નું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું પરંતુ નવ દિવસ સુધી માતાજી ની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવતી હતી ત્યારેનવરાત્રી ના છેલ્લા દિવસે માતાજી ની આરતી કર્યા બાદ ગરબા નું આયોજન કરવામાં આવ્યું જેમાં 11 બહેનો પોતાના માથા ઉપર માતાજી ના ગરબી ઉપાડી ગરબે રમી હતી વર્ષો જૂની પરંપરા જળવાઈ રહે અને ગરબાનું આયોજન ખંડિત ન થાય તે માટે આ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું