Bharuch : કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું દફનવિધિ કરવાં આવી

કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું બુધવાર ની વહેલી સવારે દિલ્હી ખાતે નિધન થતા તેઓના પાર્થિવ દેહને મોડી સાંજે દિલ્હી થી વડોદરા એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં કોંગ્રેસના અગ્રણીઓ પણ ત્યાં ઉઓસ્થિત રહી એમ્બ્યુલન્સમાં તેઓના પાર્થિવ દેહ એરપોર્ટ થી બહાર લાવવામાં આવ્યો હતો.અને રાત્રીના સમયે તેઓના વતન અંકલેશ્વર ખાતે પીરામણ લાવવામાં આવતા પાર્થિવદેહ ને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે અને ગુરુવારની સવારે રાહુલ ગાંધી સહિત નેતાઓ અને કાર્યકરો તેમજ સ્વજનોની હાજરીમાં દફન વિધિ કારવામાં આવશે.
અહેમદ પટેલના પાર્થિવદેહને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લાવ્યા તે વેળા એમ્બ્યુલન્સમાં તેઓના પુત્ર ફૈઝલ પટેલ,ગુજરાત પ્રભારી રાજીવ સાતવ,પ્રદેશ પ્રમુખઅમિત ચાવડા,કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ,વિધાનસભામાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી,રાજ્યસભા સાંસદ શકિતસિંહ ગોહિલ,પ્રદેશ યુવા મહામંત્રી માનસિંગ ડોડીયા અને સિધ્ધાર્થ પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ શ્રદ્ધાંજલી આપી હતી.