Bharuch : ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા તાપી હોટલની બાજુમાં ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી
અંકલેશ્વર ,પાનોલી,દહેજ જેવી ઉધોગો માં અવાર નવાર આગની ઘટનાઓ બનતી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે અંકલેશ્વર સ્થિત ભંગારના ગોડાઉનમાં પણ આગ લાગવાની ઘટનાઓ માં ઇજાફો થવા પામ્યો છે આજરોજ સવારના સમયે હાઇવે નંબર 48 મળીને આવેલી એક ભંગારના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી જવાબ પામી હતી આગની આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ડી.પી.એમ.સી. ,નોટિફાઈયડ, પાનોલી સહિત ના પાંચ થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આજ થી વધુ ફાયરટેન્ડરો ની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો પરંતુ આગની ઘટના ગોડાઉન માં સંગ્રહ કરવામાં આવેલા પૂંઠા, પ્લાસ્ટિક, ખાલી ડ્રમ વિગેરે ભંગાર નો સમાન સળગી જતા ભંગાર ના વેપારી ને
આશરે અઢી થી ત્રણ લાખ રૂ. નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે આગ ની જાણ પોલીસ વિભાગને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગ લાગવાના કારણ ની તપાસ હાથધરી છે.