Bharuch : મારુતિસિંહ અટોદરિયાએ મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી

ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ તમામ ભરૂચ જિલ્લા વાસીઓને મકરસંક્રાંતિ ની શુભેચ્છાઓ પાઠવી
મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિ અટોદરીયાએ પોતાના ઘરના ધાબા ઉપરથી પરિવારજનો સાથે ઉતરાયણ ની ઉજવણી કરી હતી. શ્રી મારુતિસિંહ અટોદરિયાએ ભરૂચ જિલ્લાની જનતાને મકરસંક્રાંતિ ની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, યુવાનોના ઉત્સવ પતંગોત્સવના દિવસે "દો ગજ કઈ દુરી, માસ્ક જરૂરી" સાથે કોવિડ-૧૯ માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈન નું પાલન કરવું જોઈએ. છેલ્લા ૨૫ વર્ષથી મારુતિસિંહ પોતાના વિસ્તારમાં પોતાના પરિવાર સાથે અને સ્થાનિક રહીશો સાથે ઉતરાયણ કરતા આવ્યા છે પરંતુ આ વર્ષે પૂરું આ મહામારી ના કારણે તેઓ પોતાના પરિવાર સાથે જ ઉતરાયણ ની મજા માણે છે. મકરસંક્રાંતિ ના શુભ દિવસે મારુતિસિંહ અટોદરિયાએ શહેરીજનો અને જિલ્લાવાસીઓને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી.