Chhotaudepur : રાજપૂત યુવા સંગઠન દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂંજન કાર્યક્રમ યોજાયો

નસવાડી ખાતે રાજપૂત યુવા સંગઠન દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પૂંજન કાર્યક્રમ શ્રીમતી એસ. બી. સોલંકી વિદ્યા મઁદિર ખાતે યોજાયો 
દશેરા નિમિતે ભગવાન રામ દ્વારા રાવણને નાશ કરવામાં આવ્યો હતો તેના ભાગ રૂપે સમગ્ર દેશમાં અનેક કાર્યક્રમ યોજાય છે તેના અનુરૂપ છોટાઉદેપુર જીલ્લાના રાજપૂત યુવા સંગઠન દ્વારા આજે દશેરા ના તહેવાર નિમિતે નસવાડી ખાતે શ્રીમતી એસ. બી. સોલંકી વિદ્યા મંદિર ખાતે ભેગા થઇ શસ્ત્ર પૂજા તેમજ વિશ્વમાં ફેલાયેલી કોરોના જેવી મહામારી માંથી માતાજી જલ્દી વિશ્વ ને મુક્ત કરે તેવી પાર્થના સાથે શસ્ત્ર પૂજા કરી રાજપૂત યુવા ઓનું સંગઠન મજબૂત બની વ્યસન મુક્ત બને તેવી પાર્થના કરવામાં આવી હતી