Diyodar : ખેરવા ગામ નજીક અકસ્માતમાં એકજ પરિવારના 7 લોકોના મોત

ધંધા રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલી અપાઈ
સુરેન્દ્રનગરના પાટડી ખેરવા ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે દર્શન કરી પરત ફરતા ડમ્પર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા એકજ પરિવારના 7 લોકોના મૃત્યુ થયા હતા જેમાં સમગ્ર જિલ્લામાં દુઃખની લાગણી જોવા મળી હતી જેમાં મૃતકો રાધનપુર અને સાંતલપુર તાલુકાના હોવાથી અકસ્માત ના સમાચાર મળતા દિયોદર નાઈ એસોસિએશન તથા લીંબચીયા સંગઠન દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલી અપર્ણ કરવામાં આવી હતી