Gir somnath : સ્વ. કેશુભાઈ પટેલની પુણ્યતીથી નિમિત્તે બ્લડ કેમ્પ ડોનેશન યોજાયો

ગુજરાતના પનોતા પુત્ર એવા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતીથીના સોમનાથમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાથે શ્રધ્ધા સુમન
શ્રી હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટ અને સોમનાથ નગરના સ્થાનિક નાગરિકો દ્વારા સોમનાથ તીર્થક્ષેત્રના વિકાસના સ્વપ્ન દષ્ટા અને ટ્રસ્ટના ચેરમેન સ્વ. કેશુભાઇ પટેલની પ્રથમ માસીક પુણ્યતીથી નિમીતે તા.ર૯ ને રવિવારે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્યું
સ્વ. કેશુભાઈ પટેલ ના પુત્ર ભરત પટેલ પણ ખાસ આ કાર્યમાં ઉપસ્થિત રહી પોતે પણ રક્તદાન કરી ઉમદા અભિગમ રજૂ કરેલ.
સાથે કેશુભાઈ પ્રત્યે લોકો ની લાગણી અને રક્તદાન જેવા ઉમદા કાર્ય અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
રક્તદાન કેમ્પ ના આયોજન શ્રી હમીરજી સ્મારક ટ્રસ્ટ ના મહેન્દ્રસિંહ વાળા એ આ કાર્ય ને સ્વ. કેશુભાઈ પટેલ ને શ્રધ્ધાંજલી રૂપી ગણાવેલ અને કેશુબાપા ના લોક ઉપયોગી કર્યો થકી તેઓ કાયમી લોકો વચ્ચે જીવંત રહશે.
આ કેમ્‍પમાં એકત્ર થનાર બ્લડ રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે કોરોના તથા થેલેસેમીયાના દર્દીઓને મળવાથી સ્વ.કેશુભાઇ પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી આપવાનું ગણાશે.
સોમનાથ ખાતે ના મેગા રક્તદાન કેમ્પ માં સ્થાનિક આગેવાનો, નગરજનો, નાના વેપારી સહિત સોમનાથ મંદિર ટ્રસ્ટ ના કર્મચારીઓ ઉત્સાહ ભેર જોડાયા હતા.