Jetpur : મેવાસા ગામમાં પતિએ નાની એવી વાતમાં પોતાની પત્નીની કરી હત્યા

કહેવાય છે કે દુનિયા માં પતિ અને પત્ની ના સબંધ એ ખુબજ સુંદર અને મજબૂત હોય છે, પણ જયારે આ સબંધ બગડે ત્યારે કાચા મન માં માનવી કઈ પણ કરી જાય છે, આવીજ એક ઘટના બની રાજકોટ જિલ્લા ના વીરપુર તાલુકા ના મેવાસા ગામ માં કે જ્યાં કે પતિ એ નાની એવી વાત માં પોતાની પત્ની ની હત્યા કરી નાખી શું છે આ ઘટના જોઈએ
બે દિવસ પહેલા રાજકોટ જિલ્લા ના મેવાસા ગામ માં એક એ હત્યા ની ઘટના ની ફરિયાદ નોંધાઈ હતી જે મુજબ મેવાસા ગામ ના ભીખુભાઇ ચુનિભાઈ ત્રાપસિયા ખેડૂત ની વાડી માં 15 દિવસ પહેલા મધ્યપ્રદેશ ના ખેત મજુર પતિ રામસિંહ અને પત્નિ સોમારી આવ્યા હતા અને ખેત મજૂરી ચાલુ કર્યું હતું આ જ આદિવાસી મજુરે રામસિંહ તેની પત્ની સોમારી ની બોથડ પદાર્થ મારી ને હત્યા કરી નાખી છે તેવી ફરિયાદ વાડી માલિક ભીખુભાઇ દ્વારા વીરપુર પોલીસ માં નોંધાવી હતી, અને આ બાબતે વીરપુર પોલીસે તાપસ શરૂ કરી ને હત્યારા પતિ ની ઘરપક્કડ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી
શુ હતી ઘટના, શુ ફરિયાદ નોંધાઈ
બે દિવસ પહેલા મેવાસા ના રહેવાસી ભીખુભાઇ ત્રાપાસિયા સવારે પોતાની વાડી એ ગયા ત્યારે તેનો મજૂર જે જગ્યા એ ધાણા વાવેલ ત્યાં ઉભો હતો અને ધાણા માં તેની પત્ની પડી હતી આ સમગ્ર ચિત્ર જોય ને ભીખુભાઇ એ તેના મજૂર રામસિંહ ને પૂછ્યું શુ થયું છે તારી પત્ની ને ત્યારે રામસિંહ આખી કહાણી કહી હતી, અને જેમાં રામસિંહ કહ્યું કે મેં મારી ઘરવાળી ને મારી નાખી છે
શા માટે એક પતિ એ તેની પત્ની ની હત્યા કરી
વીરપુર તાલુકાના મેવાસા ગામ ના એક પટેલ ખેડૂત ખાતેદાર ભીખુભાઇ ત્રાપાસિયા ની વાડી માં મધ્ય પ્રદેશ થી રામસિંહ અને તેની પત્ની સોમારી અહીં ખેત મજૂરી કરવા આવ્યા હતા, અને 15 દિવસ થયા અહીં રહી ને કામ કરતા હતા બે દિવસ પહેલા રાત્રે રામસિંહ ની પત્ની ખૂબ દારૂ પી ગઈ હતી અને નશા માં ચૂર હતી આ સમયે રામસિંહ એ પત્ની ને જમવાનું બનાવવા નું કહ્યું ત્યારે નશા માં ચૂર સોમારી એ રસોઈ બનાવવા ની ના કહી અને લાગી હોય તો હાથે બનાવી લે આ રક જક એટલી વધી કે રામસિંહ ને એટલો ગુસ્સો આવ્યો કે તેણે ગુસ્સા માં ને ગુસ્સા માં ઝપાઝપી થઈ અને પછી રામસિંહે વાડી માં પડેલ લાકડા ના હાથા વડે પત્ની સોમારી ને મારવા નું ચાલુ કર્યું જેમાં સોમારી ને પડખા માં વાગતાં તે મૃત્યુ પામી હતી
પત્ની સોમારી ને લાકડા થી મારતા તે ધાણા ના ખેતર માં ઢેર થઈ હતી અને તેનો પતિ રામસિંહ વીલા મોઢે લાશ પાસે ઊભો હતો અને જ્યારે વાડી માલિક ભીખુભાઇ આવ્યા ત્યારે સમગ્ર ઘટના રોતા રોતા કહી હતી
વાડી માલિક ભીખુભાઇ એ આ સમગ્ર ઘટના સંભાળી ને વીરપુર પોલીસ ને જાણ કરી હતી અને વીરપુર પોલીસે હત્યારા પતિ રામસિંહ ની ઘરપક્કડ કરી ને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી હતી
ક્ષણિક ગુસ્સો માણસ ને ક્યારેક હેવાન બનાવી દે છે અને નહિ કરવા નું કરી નાખે છે આવું જ કંઈક અહીં જ બન્યું હતું અહીં રામસિંહ ક્ષણિક ગુસ્સા નસા માં ચૂર પત્ની ની હત્યા કરી ને પછતાઈ રહ્યો છે અને પોલીસ હીરાસ્ત માં છે