Jetpur : યાત્રાધામ વીરપુર જલારામ મંદિરના દ્વાર આજથી ફરી ભક્તો માટે બંધ

સૌરાષ્ટ નું શુ પ્રસિદ્વ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર ના દ્વાર આજથી ફરી ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા સમગ્ર રાજ્ય માં સતત વધતા જતા કોરોનાના કેસ ને લઈને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જેથી મંદિરે આવતા દર્શનાર્થી માં કોરોના સક્ર્મણ અટકાવી શકાય જેને લઈ ને શુ પ્રસિદ્વ યાત્રાધામ જલારામ મંદિર ના દ્વાર પણ આજથી ફરી બંધ કરી દેવામાં આવેલ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર માં દરરોજ હજારો બાપા ના ભક્તો દર્શન કરવા આવતા હોઈ બાપા ના ભક્તો માં કોરોના સક્ર્મણ નો ફેલાઈ તેમાટે મંદિર ના ગાદી પતિ રઘુરામ બાપા દ્વારા બાપા ના ભક્તો ને ઘરે રહી ને જ બાપા ની ભક્તિ તેમજ દર્શન કરવા વિનંતી કરવામાં આવેલ અને આજથી ફરી મંદિર ના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા સાથો સાથ 239 દિવસ બાદ શરૂ થયેલ અન્નક્ષેત્ર પણ બંધ કરી દેવામાં આવેલ આજે બાપા ના દર્શન કરવા આવેલ ભક્તોએ બાપા ના બંધ દ્વાર ઉપર સિસ નમાવી બાપા ના આશીર્વાદ મેળવી બાપા ને પ્રાર્થના કરેલ કે આ કોરોના રૂપી મહામારી જલ્દી થી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી