Junagadh : વંથલીના ખેડુતોએ કર્યુ ઉબેણનદીનું પુજન

જૂનાગઢ જિલ્લામાં ચાલી રહેલા પ્રદૂષિત પાણીના આંદોલનને લઇ વંથલી શહેરના ખેડૂતોએ ઉબેણ નદી નું પૂજન કર્યું હતું. જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા પ્રદૂષિત પાણીના પ્રશ્નને લઈને ખેડૂતો દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી પરંતુ જાણે સરકારના બહેરા કાન થી અથડાઈ રજૂઆતો પરત આવતી હોય કેમ આ પ્રશ્નનું નિરાકરણ આજદિન સુધી થવા પામેલ ન હતું. આજરોજ વંથલીના આશરે ૪૦ ખેડૂતો એકઠા થઈ માણાવદર હાઈવે પર આવેલ ઉબેણ નદીનાં પુલ પર એકત્ર થઈ અલગ-અલગ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.