Junagadh : શ્રી રામ મંદિર નિર્માણ હેતુ નિધિ સમર્પણ અભિયાનનો પ્રારંભ

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ કાર્યનો શુભારંભ થયો છે ત્યારે આ ભવ્ય રામમંદિરના નિર્માણ હેતુ નિધિ સમર્પણ અભિયાનનો આજથી જૂનાગઢથી પ્રારંભ કરાયો જેમાં વિશ્વહિન્દુ પરિષદ, આર એસ એસ, અને વેપારી મંડળો, તેમજ રાજકીય અગ્રણીઓના સહકારથી રામમંદિર નિર્માણ હેતુ નિધિ એકઠી કરવામાં આવી હતી સંઘ દ્વારા જૂનાગઢ વિભાગના રાહબર નીચે નિધિ સમર્પણના અભિયાનમાં સાધુ સંતો શ્રી ઇન્દ્રભારતીજી બાપુ,રાજકીય મહાનુભાવો, વેપારી મંડળો સહિતનાઓએ દ્વારા 6 લાખ,5 હજાર 384 રૂપિયાની ધનરાશી રામમંદિર નિર્માણ માટે સમર્પણ કરી હતી ઉપસ્થિત તમામ લોકોએ ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિર માટે નિધિ સમર્પણ કરી ધન્યતા અનુભવી હતી