Katchh : વિધાનસભાની પેટાચૂંટણીને લઈને કચ્છમાં રાજકીય દોડધામ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હનીફભાઈને જીતાડવા કરી અપીલ
અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીને લઈને કચ્છમાં રાજકીય દોડધામ મચી ગઇ છે એ વચ્ચે આજે નલિયા ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવારના સમર્થનમાં સભા યોજી હતી આ સભામાં જબરજસ્ત જનસંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની હાજરીમાં હનીફ બાવા પડેયારના સમર્થનમાં લોકો ને આગળ આવવા માટે બાપુએ હાકલ કરી હતી
કચ્છમાં આ વખતે અબડાસાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારનું પલડું ભારી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કચ્છની મુલાકાતે આવ્યા છે ગઈકાલે ભુજ આવ્યા બાદ શંકરસિંહે લખપત તાલુકાના ગામડાઓમાં અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પડેયારનો પ્રચાર કર્યો હતો આજે નલિયા ખાતે જાહેર સભા સંબોધી હતી કોવિડની પરિસ્થિતિ જોતા સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવ્યું હતું શંકરસિંહે જણાવ્યું કે,લોકોએ કોંગ્રેસ ઉમેદવારને ચૂંટયા પણ તેઓ ભાજપમાં જોડાઈ ગયા,ત્યારે તેમની ખાતરી શુ હાલમાં જે કોંગ્રેસ ઉમેદવાર છે તે ભવિષયમાં ભાજપમાં ભળી જાય તો,જેથી હવે ત્રીજો વિકલ્પ જરૂરી છે માટે હનીફભાઈને બેટના નિશાન પર ચૂંટી કાઢી ગાંધીનગર ધારાસભ્ય બનાવીને મોકલી આપવા આહ્વાન કર્યું હતું કચ્છની અસ્મિતાનું નિમિત્ત અબડાસા બનશે લખપત, અબડાસા અને નખત્રાણામાં અપક્ષ ઉમેદવાર હનીફભાઈને જનસમર્થન મળી રહ્યુ છે જે તેમની લોકપ્રિયતા છે સમાજના સહકાર સાથે હનીફભાઈએ ચૂંટનીમાં ઝંપલાવી લોકોની સેવા કરવાનો મોકો મેળવ્યો છે ભાજપ અને કોંગ્રેસની નીતિથી લોકો ત્રસ્ત બની ગયા છે જેથી આ વખતે હનીફભાઈને વિજયી બનાવવા માટે સભામાં હાકલ કરી હતી..
તો અપક્ષ ઉમેદવાર હનીફ પડયારે પોતાને ગામેગામથી જનસમર્થન મળતું હોવાનું જણાવી તેઓ રાજ કરવા માટે નહીં પણ પ્રજાની સેવા માટે ચૂંટણીમાં ઉભા છે મતદારો તેમને વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી, બે વર્ષના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન તેઓ અબડાસા વિસ્તારમાં ખૂટતી કડીઓ પુરી કરવા માટે પ્રયત્નશીલ બનશે તેવું જણાવ્યું હતું
આજે કાર્યક્રમમાં રાણુંભા જાડેજા,રજાક લંગા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા