Amirgadh : રામદેવપીર મંદિરે ઉત્તરાયણ નિમિત્તે નાના બાળકોને તિથિ ભોજન અપાયું

અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામના રામદેવપીર મંદિરે ઉત્તરાયણ નિમિત્તે અપાયું નાના બાળકોને તિથિ ભોજન
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલા અરણીવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલા રામદેવપીરના મંદિરે સંત મહાત્મા અમરતજી ગીરી બાપુ દ્વારા ઉત્તરાયણ ના પાવન પર્વ નિમિત્તે નાના બાળકોને તિથિ ભોજન અપાયું હતું તથા આ સંત મહાત્મા અમરતજી ગીરી બાપુના હસ્તે નાની કુવાસી ઓને દાનપેટે પૈસા આપવામાં આવ્યા હતા તથા આયોજનમાં સહયોગ આપવા માટે અમરા બાવાજી તથા માજીરાણા અમરતભાઈ .એમ તથા માજીરાણા ધનરાજભાઇ તથા માજીરાણા નરેશભાઈ ના 7 સહયોગ થી અને આ રીતે સંત મહાત્મા અમરતજી ગીરી બાપુ દ્વારા ઉતરાયણ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી તથા આવાળા ગામની વાત કરવામાં આવે તો ત્યાં પણ અવાળાગામના રબારી સમાજ ના ભાઈઓ દ્વારા ગાયોને સુકો ઘાસચારો નાખવામાં આવ્યો હતો આ રીતે ઉતરાયણ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.