Banaskantha : અંબાજી મંદિર ખાતે આરતી કરી માતાજીની પૂજા-અર્ચના

ધાનેરાના અંબાજી મંદિર ખાતે આરતી કરી માતાજીની પૂજા-અર્ચના કરી
ધાનેરાના અંબાજી મંદિર ખાતે અંબાજી યુવક મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે અને મોટી માત્રામાં લોકો આ ગરબે ઘૂમતા હોય છે પરંતુ આ વખતે કોરોના મહામારી ને લઇ માત્ર માતાજીની પૂજા અર્ચના અને આરતી જ કરવામાં આવે છે અને તે બાદ લોકો પોતાના ઘરે જાય છે સ્થાનિક લોકો તેમજ ગરબાના આયોજકો દ્વારા માતાજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી અને નવરાત્રી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી