વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. ભાવનગર પોલીસ હેડ કોટર ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજન યોજવામાં આવ્યું હતું. વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે સુરા શક્તિનો નાશ થાય અને સત્યનો વિજય થાય ત્યારે ભારત દેશ ની પરંપરા અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. દેશમાં વસતા તમામ શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. ત્યારે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા પણ પોલીસ હેડ કોટર ખાતે પોલીસના તમામ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાવનગરના જિલ્લા પોલીસ અધિક્ષક ડીવાયએસપી પી.આઈ પી.એસ.આઈ સહીતા અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધી સાથે બ્રાહ્મણો દ્વારા પરંપરાગત પૂજાવિધિ કરીને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.