Chalthan : પાટીદાર સમાજની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

કડોદરા સુરત ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસીએશન દ્વારા કડોદરા પાટીદાર સમાજ ની વાડી ખાતે રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતનાં કડોદરા નગર ખાતે આવેલ પાટીદાર સમાજ ની વાડી ખાતે કડોદરા સુરત ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનનાં અધ્યક્શ વિરેન્દ્રભાઈ દ્વારા રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈને પોતાનું રક્ત દાન કરી અન્યોને પણ સમાજ સેવાનો એક દાખલો પૂરો પાડ્યો હતો કોરોના કાળ દરમ્યાન જરૂરી રક્ત સમાજ તેમજ જરુરીયાત મદ લોકોને મળી રહે તેવાં ઉમદા ઉદ્દેશ્ય સાથે વહેલી સવારથી જ ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો તેમજ કર્મચારીઓ દ્વારા રક્ત દાન કરી પોતાની ફરજ બજાવી હતી
આ પ્રસંગે ગૌવ માતાનાં રક્ષણ માટે વર્ષો થીં કાર્યરત સામાજિક અગ્રણી એવાં અશોક સારસ્વત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આજે જ્યારે કોરોના મહામારી ને લઇને હોસ્પિટલોમાં રક્ત ની અછત વર્તાઈ રહી છે ત્યારે આવાં કપરાં કાળમાં ખરાં અર્થમાં કોરોના વોરીયર્સ તરીકે પોતાની માનવ પ્રત્યે ની સેવા બજાવનારા આ રક્ત દાતાઓ સરાહનીય કામગીરી બિરદાવવા યોગ્ય છે