Junagadh : મકરસંક્રાંતિના પાવન દિવસે દાનભેટનું વિશેષ મહત્વ

મકરસંક્રાંતિના પાવનદિવસે જૂનાગઢ સ્વામીમંદિરમાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા, કોરોના સામે જાગૃતતા દાખવી કર્યા દર્શન
દાનભેટનું વિશેષ મહત્વ ધરાવતા આજના મકરસંક્રાંતિના પાવન દિવસે લોકો ગાયોને ઘાસ, ગરીબોને દાન, બ્રાહ્મણોને ભેટ, સહિતના ધાર્મિક કર્યો લોકો કરતા હોય છે જૂનાગઢ જવાહર રોડ સ્થિત આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સરકારની ગાઈડ લાઇન મુજબ ભક્તો દર્શન માટે ઉમટયા હતા, મંદિરની ગૌ શાળામાં ગાયોને ઘાસચારો સહિત ની સેવાઓ કરવામાં આવી હતી