Junagadh : શ્રી રામ મંદિર નિર્માણ હેતુ ભવનાથ તળેટી ખાતે યોજાયું સંત સંમેલન

શ્રી રામ મંદિર નિર્માણ હેતુ જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે યોજાયું સંત સંમેલન, અગ્રણી સાધુ સંતો,તેમજ જૈન સાધુઓ રહ્યા ઉપસ્થિત, રામમંદિર નિર્માણ હેતુ નિધિ સમર્પણ કરશે સાધુસંતો
હાલ ભગવાન શ્રી રામ જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય રામમંદિર નિર્માણ નું કાર્ય હેતુ સાધુ સંતો પણ હવે પોતાના તન ,મન અને ધનથી યોગદાન આપવાના શુભ આશયથી જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે મહંત શ્રી શેરનાથજી બાપુની નિશ્રામાં સંત સંમેલન યોજાયું હતું જેમાં અગ્રણી સાધુ સંતો,મહંતો,જૈન સંપ્રદાયના સાધુઓ, સ્વામિનારાયણ સંપ્રદાય, અક્ષરમંદિર,તેમજ વૈષ્ણવ સંપ્રદાયના મારાશ્રી,સહિતના સાધુસંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામના મંદિર માટે નિધિ ( ભંડોળ) માટે આગળ આવશે અને હિંદુરાષ્ટ્રનું નિર્માણ થાય તે માટે પોતાનું યોગદાન પ્રદાન કરશે
ભગવાન રામના જન્મસ્થળ પર હાલ ભગવાન શ્રી રામનું અદ્યતન ભવ્ય મંદિર નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે