Morbi : ઇન્દિરા ગાંધીની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો

દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતી નિમિતે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે પ્રસંગે મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ લક્ષ્મણભાઈ કણઝારીયા, કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ, કે ડી પડસુંબીયા સહિતના અગ્રણીઓ અને કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી