Navsari : નિઃશુલ્ક યોગ શીખવા અને યોગ વિષેની જાણકારી અપાઈ

દેશના વડા પ્રધાન શ્રી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી હતી આ બોર્ડ દ્વારા લોકોને નિઃશુલ્ક યોગ શીખવા અને યોગ વિષેની જાણકારી અપાઈ રહી છે
નવસારી જિલ્લામાં નિઃશુલ્ક યોગ કક્ષા શરૂ કરવામાં આવી છે નવસારીના વિજલપોર ખાતે રામનગર વિસ્તારમાં યોગા માટે નિઃશુલ્ક યોગ કક્ષ શરૂ કરવામાં આવ્યું આ કક્ષામાં રાજ્ય સરકાર દ્વારા નિણમૂક ટ્રેનર દ્વારા લોકોને યોગ શીખવામાં આવે છે 4 મહિના થી આ યોગ શિબિર રામનગરમાં ચાલી રહ્યો છે જેમાં રામનગર વિસ્તારમાં બાળકો મહિલાઓ અને વૃધ્ધઓ પણ યોગ કક્ષમાં યોગ શીખવા માટે આવી રહ્યાં છે યોગ કરતા લોકોના જણાવ્યા મુજબ યોગ કરવા થી શરીર તંદુરસ્ત રહે છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં યોગ કક્ષ શરૂ કરવામાં આવ્યા છે અને નિણમૂક ટ્રેનરઓને સરકાર દ્વારા 3000 હજાર વેતન પણ ચૂકવામાં આવે છે.