Amirgadh : સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

યુવાઓના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિ ઇકબાલગઢ ખાતે અમીરગઢ તાલુકા યુવા ભાજપ દ્રારા ઉજવવામાં આવી
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નાં સંદેશાના પ્રણેતા એવા યુવાઓના પ્રણેતા સ્ત્રોત, સમાજ સુધારક શ્રી યુવા યુગ પુરુષ એવા સ્વામી વિવેકાનંદ જી ની જન્મ જયંતી અમીરગઢ તાલુકાના મુખ્ય વહેપારી મથક ગણાતા એવા ઈકબાલગઢ માર્કેટ યાર્ડ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં અમીરગઢ તાલુકાના યુવા ભાજપ અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા દ્ધારા પુષ્પાંજલિ અર્પણ કરી તીરંગા યાત્રા યોજવામાં આવી હતી તેમાં ઈકબાલગઢ હાઈવે થી લઈને બજારમાં તીરંગા યાત્રા નીકાળી હતી તથા ભારત માતાકી જય , વંદે માતરમ્ નાં નારાથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા તથા રેલીનું ઈકબાલગઢ માર્કેટ યાર્ડ ખાતે પુર્ણાહુતી કરવા મા આવી હતી સંપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્વક પુર્ણ કરવામાં આવ્યું હતું જેમાં સંપૂર્ણ કાર્યક્રમ ની જહેમત અમીરગઢ તાલુકાના ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યો હતો અને યુવા ભાજપ ના કાર્ય કરતા ઓ બાઈક રેલી યોજી સમગ્ર ઇકબાલગઢ માં વન્દે માતરમ, અને ભારત માતા કી જય થી સમગ્ર ઇકબાલગઢ ને ગુજવી દીધું હતું જેમાં અમીરગઢ તાલુકાના ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી રામલાલ મીણાભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, મહામંત્રી શ્રી ચેતન સિંહ રાજપૂત, મહામંત્રી શ્રી કૈલાસ ભાઈ દરજી, દાંતા વિધાનસભા આઈ.ટી.એસ.એમ શોસિયલ મિડિયા ઈનચાર્જ શ્રી કેદારસિંહ.બી.ચૌહાણ . પ્રવીણભાઈ પટેલ , પુર્વ ભાજપ પ્રમુખ શ્રી સંજય ભાઈ જૈન તથા પાર્ટી ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.