Banaskantha : દિવાળીના મિની વેકેશન બાદ બજારોમાં મંદીનો માહોલ

દિવાળીના મિની વેકેશન બાદ બજારોમાં મંદીનો માહોલ
શિયાળાની શરૂઆતમાં ભીલડી પંથકમાં દિવાળી દરમિયાન બજારો ધમધમી ઊઠી હતી પરંતુ દિવાળીના મિની વેકેશન બાદ અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે વેપારીઓને આશા હતી કે દિવાળી બાદ પણ બજારો ધમધમતા રહેશે પરંતુ કોરોના મહામારી વચ્ચે હાલમાં બજારો સૂમસામ જોવા મળી રહે છે. બજારમાં કોરોના ના કારણે ધંધા રોજગાર ઉપર મોટી અસર પડી છે.ત્યારે ખેડૂતોને સીઝન ચાલુ થઈ હોવાથી એગ્રો ની દુકાનો ઉપર થોડી ભીડ જોવા મળી હતી ત્યારે બાકીના વેપારીઓના ધંધામાં મંદી જોવા મળી રહી છે.