Bharuch : કેનાલની સાફસફાઈ મામલે ખેડૂતોના રોષ બાદ અધિકારીનો ખુલાસો

કેનાલની સાફસફાઈ મામલે ખેડૂતોના રોષ બાદ અધિકારીનો ખુલાસો
આમોદ તાલુકાના ખેડૂતોએ મિયાગામ થી પૂરસા જતી નહેરની સાફસફાઈ નહિ કરાતા નહેર વિભાગ સામે રોષ વ્યક્ત કરી આમોદ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરાઈ હતી. કોન્ટ્રાકટર અને અધિકારીઓ ની મિલી ભગતમાં ભ્રષ્ટાચાર ની આશંકા વચ્ચે એ એમ પઠાણ BSO, આમોદ સબ ડિવિઝન નહેર વિભાગ ના અધિકારીએ ખેડૂતોના વિરોધ મામલે જણાવ્યું હતું કે નહેર ની સાફસફાઈ કરી દેવામાં આવી છે અને માત્ર આમોદ નજીક 70 મીટરની જગ્યામાં મધપૂડા ના કારણે કામ અટકેલું તે પણ પૂરું કરવાની બાહેંધરી આપી હતી.