Halvad : કોયબામાં વિર યોદ્ધાની 50મી પુણ્યતિથિએ કથાનુ આયોજન

હળવદના કોયબામાં વિર યોદ્ધાની 50મી પુણ્યતિથિએ કથાનુ આયોજન
1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના જવાનોને ધુળ ચટાડીને વિરગતી વહોરનાર વિર યોદ્ધાની 50મી પુણ્યતિથિ નિમિત્તે કોયબા ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય, પુર્વ તાલુકા પ્રમુખ સહિત ઝાલા પરિવારના મહેમાનો ઉપસ્થિત રહી વિર યોદ્ધાને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
કોયબા ગામના વનરાજસિહ ઝાલા જેઓ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં વિરગતી પ્રાપ્ત કરી ઈતિહાસમાં અમર થઈ ગયા છે જેઓની 50 મી પુણ્યતિથિ નિમિત્તે કોયબા મુકામે હાલ કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્તપણે પાલન કરી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાવાર્તા બાદ યુદ્ધમાં વિરગતી પ્રાપ્ત યોદ્ધા ને શ્રધ્ધા સુમન અર્પણ કરી બહાદુરીનો ભુતકાળ યાદ કરવામાં આવ્યો હતો આ તકે ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા,પુર્વ તાલુકા પ્રમુખ ધર્મેન્દ્ર સિહ ઝાલા,સાહિત્ય કાર હકાભા ગઢવી સહિત ઝાલા પરીવારના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.