Junagadh : બાપાસીતારામ મંદિરની દાનપેટી ના તાળા તોડતા ચકચાર

કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ બાપાસીતારામ મંદિરની દાનપેટી ના તાળા તોડતા ચકચાર
કેશોદ તાલુકાના આંબાવાડી વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મંદિરમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા હતા મળતી માહિતી મુજબ બાપા સીતારામ મંદિરમાં આવેલ દાન પેટીના લોકઅપ તોડીને રોકડા રૂપિયા ઉઠાવી ગયા હતા.
બનાવની વિગત એવી છે કે મંદિરના તાળા તોડી રોકડની ઉઠાંતરી કરેલા તસ્કરોને સ્થાનિક લોકોએ પકડી પાડયા હતા તસ્કરો ધોળે દિવસે મંદિરના તાળા તોડી તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ગયા હતા.
ત્યારે કેશોદ માં અગાઉ પણ ઘણા ચોરીના બનાવ બની ચૂક્યા છે ત્યારે હવે તસ્કરોને ખુલ્લું મેદાન મળી ગયું હોય એમ ધોળે દિવસે પણ ચોરીના બનાવો થવા લાગ્યા છે
ચોરો પહેલાં મંદિરે આવીને રેકી કરી ગયા હશે એટલે જ બહુ જ હોંશિયારીથી તેઓએ ધોળા દિવસ નો લાભ લઇ રોકડ ઉઠાવી જવાની હિંમત દર્શાવી હતી. હાલ બંને તસ્કરોને સ્થાનિક લોકોના હાથે ઝડપાઇ જતા સ્થાનિક લોકોએ કેશોદ પોલીસ ને સોપી એફઆઈઆર દાખલ કરી પૂછપરછ સાથે આગળની તજવીજ હાથ ધરી છે