Junagadh : શાકભાજી વેંચતા ખેડૂતોને ઓળખકાર્ડ વિતરણ કરાયા

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો શેડમાં પોતાનું શાકભાજી સ્વતંત્ર રીતે વેચી શકે તે માટે યાર્ડ દ્વારા ઓળખકાર્ડ ઈશ્યુ કરાયા, અંદાજે 300 કાર્ડ ખેડૂતોને અપાયા
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનું શાકભાજી યાર્ડના હયાત શેડમાં સ્વતંત્ર રીતે વેચી શકે તે માટે માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને ઓળખકાર્ડ વિતરણ કરાયા હતા અંદાજે 300 ઓળખકાર્ડનું વિતરણ જૂનાગઢ માર્કેટયાર્ડના ચેરમેન કિરીટ પટેલ અને અગ્રણી મહાનુભાવોના હસ્તે જૂનાગઢ તાલુકા અને સ્થાનિક ખેડૂતોને વિતરણ કરાયા હતા ઓળખકાર્ડ થી ખેડૂતો પોતાનું શાકભાજી નિયત સ્થળે યાર્ડના શેડ ખાતે જ હવે વેચી શકશે જેમાં જૂનાગઢ તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્ડ મેળવ્યા હતા