Junagadh : સાસણ ગીર અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

સાસણ ગીર અભ્યારણ્ય છેલ્લા 6 માસ જેટલા સમયથી બંધ હતું જે અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું
સાસણ ગીર ડી એફ ઓ મોહન રામે લીલી ઝંડી આપી પ્રવાસીઓને પ્રસ્થાન કરાવ્યું હતું સિંહ દર્શન માટે ઓનલાઇન પરમીટ મા આજે પ્રથમ 36 પરમીટ નું ઓનલાઇન બુકીંગ થયું હતું જો કે આવનારા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામા વધારો થાય તેવી આશા સેવાઇ રહી છે હાલ કોરોના મહામારી સામે પ્રવાસીઓને સરકારની ગાઈડ લાઇન મુજબ જ સિંહ દર્શન માટે એન્ટ્રી આપવામાં આવે છે