Morbi : કોંગ્રેસ દ્વારા રાજનગર વિસ્તારમાં જાહેર સભા યોજવામાં આવી

મોરબીના સિરામિક ઉધોગકારોને મંત્રી આવીને ધમકાવે છે : પરેશ ધાનાણી
મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે હાલમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઇ પટેલના સમર્થનમાં ગામોગામ કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો સહિતના દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની હાજરીમાં મોરબી શહેરના રાજનગર વિસ્તારની અંદર જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં તેમણે ભાજપને આડે હાથે લીધો હતો અને ભાજપ દ્વારા વર્ષો પહેલા ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાતો કરવામાં આવી હતી તે તમામ વસ્તુઓ હાલમાં ભાજપની અંદર સિસ્ટમ બની ગઇ છે માટે તે નાબૂદ થાય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે અગાઉ વેચેલો માલ લીધો હતો જેની હવે પસ્તી થઈ ગયેલ છે પણ મતદારો આ પેટા ચુંટણીમાં વેચેલો માલ હવે નહી સ્વીકારે તેનો મને વિશ્વાસ છે અગાઉ મતદારોએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા હતા પણ કોંગ્રેસને ક્યાં ખબર હતી કે આ ઘડો કાચી માટીનો હતો માટે તે ફૂટી ગયો છે પણ આ વખતે કોંગ્રેસ અને મતદારોને વફાદાર ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઇ પટેલને ચુંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે
તેને મતદારોના આશીર્વાદ સો ટકા મળશે કેમ કે, અત્યારે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ઉદ્યોગકારો સહિતના લોકો વર્તમાન સરકારની નીતિરીતિના કારણે હેરાન-પરેશાન છે અને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે ત્યારે આ પેટા ચૂંટણીની અંદર આઠે આઠ બેઠક ઉપર ભાજપને મતદારો દ્વારા જો તમાચો મારવામાં આવશે તો સત્તાના મદમાં રાચતા ભાજપની શાન ઠેકાણે આવી જશે તે નિશ્ચિત વાત છે અંતમાં તેમણે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી રાજ્ય સરકારના મંત્રી મોરબી-માળિયા વિધાનસભા બેઠકના વિસ્તારની અંદર આંટાફેરા કરી રહ્યા છે અને અહીંના ઉદ્યોગકારોને યેનકેન પ્રકારે ધમકાવી રહ્યા છે જેમાં ખાસ કરીને ૪૦૦ કરોડની પ્રદૂષણની નોટિસ આપવામાં આવી છે તે મુદાને ચર્ચા બનાવવામાં આવે છે ત્યારે નોટીસના ૪૦૦ કરોડ રૂપિયા ભરવાના બદલે કોંગ્રેસમા ૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે તો કોંગ્રેસ દ્વારા ઉદ્યોગકારોના હિતમાં નિર્ણય થાય તેવી કામગીરી કરી બનાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો