કચ્છ : એસટી બસના પરિવહનમાં 50 ટકા મુસાફરો ઘટી ગયા

કચ્છમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે સરકારે ભુજ અને ગાંધીધામ શહેરમાં નિયંત્રણો લગાવ્યા છે આ ઉપરાંત મોટાભાગના ગામડાઓ પણ સ્વંયભુ બંધ હોવાથી જિલ્લામાં લોકડાઉનની અસર પ્રવર્તી રહી છે જેના કારણે એસટી બસમાં મુસાફરો ઘટી ગયા છે હાલ જિલ્લાની એસટી બસના પરિવહનમાં 50 ટકા મુસાફરો ઘટી ગયા છે,ક્ચ્છ એસટી વિભાગના નિયામક સી.ડી.મહાજને જણાવ્યું કે,હાલ એસટી બસોનું પરિવહન 50 ટકા મુસાફરો સાથે કરવામાં આવે છે બસોમાં કેપીસિટીના 50 ટકા મુસાફરો સવારી કરે એ માટે ડ્રાઇવર અને કંડકટરને તાકીદ કરવામાં આવી છે.હાલમાં અમુક લોકલ અને એક્સપ્રેસ રૂટ પ્રવાસીઓ ન મળવાથી બંધ કરી દેવાયા છે 50 ટકા પ્રવાસીઓ ઘટી ગયા હોવાનું જણાવ્યું હતું