Palanpur : ગુરુનાનક ચોક ખાતે નિશુલ્ક માસ્ક વિતરણ કરાયું

બનાસકાંઠામાં કોરોના એ ફરી વાર હાહાકાર મચાવી નાખ્યો છે.ત્યારે સેવાકીય કાર્યોમાં તત્પર નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી અગાઉ ચૌદ હજારથી પણ વધારે નિશુલ્ક માસ્ક વિતરણ કરી જનજાગૃતિ અભિયાન ચલાવ્યું છે તેથી પાલનપુર અને બનાસકાંઠામાં કોરોના ના કેસ વધી રહ્યા છે એ અનુસંધાને પાલનપુર ગુરુનાનક ચોક ખાતે નિશુલ્ક માસ્ક વિતરણ ડિસ્ટન્સ રાખવા અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવા જાહેર જનતામાં જનજાગૃતિ અભિયાન ચલાવી અપીલ કરવામાં આવી હતી.
સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ચાલવા માટે તાકીદ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતિનભાઈ ઠાકોર, રાજુભાઈજોશી ઠાકુરદાસખત્રી મનઅગ્રવાલ, કમલેશભાઈ પરમાર કમલેશભાઈ ત્રિવેદી સચિનગુપ્તા સંગઠનના કાર્યકર્તાઓ હાજર રહી લોકોમાં અવેરનેસ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.