Sabarkantha : હિંમતનગર રેલવે મથકે 1300 મેટ્રિક ટન ખાતર ભરેલી ટ્રેન આવી

સાબરકાંઠાના હિંમતનગર રેલવે મથક એ આજે 1300 મેટ્રિક ટન ખાતર ભરેલી ટ્રેન આવતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને રવી સીઝન માટે ખાતર મેળવવા માટેની લાઈન માંથી હવે છુટકારો મળશે. જી એસ એફ સી દ્વારા મોકલાવેલ આ ખાતર આગામી ખેતીની સિઝન માટે આશીર્વાદરૂપ બની રહેશે.
સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશનને આજે 1300 મેટ્રિક ટન ભરેલી રેક આવી પહોંચતા સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ બની રહેશે. સામાન્ય રીતે રવી સીઝનમાં ઘઉં,બટાકા, ચણા સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં આવા ખાતરની જરૂરીયાત ઉભી થતી હોય છે જોકે ઠીક આવા સમયે જ ખાતરની ખૂબ મોટી તંગી સર્જાતી હતી તેમજ ખાતર મેળવવા માટે મહેસાણા તેમજ પાલનપુર સુધી લાંબા થવું પડતું હતું જોકે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા આ વખતે હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર બ્રોડગેજ લાઇનનું કામ પુરુ કરી દેવાતા ખાતર ભરેલી રેન્ક સીધેસીધી હિંમતનગર આવી હતી જેના પગલે હવે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 14 થી વધારે તાલુકાના ગામડાઓ માટે ખાતર મેળવવા માટે કોઇ સમસ્યા સર્જાશે નહીં
મોટાભાગે ખાતર મેળવવા માટે આ સિઝનમાં લાંબી કતારો લાગતી હતી તેમજ કાળા બજાર કરનારાઓ માટે મોકળું મેદાન મળતું હતું પરંતુ હવે પ્રત્યેક ગામડા ના ખેડૂત સુધી ખાતર મેળવવા કોઈ પણ ખેડૂતને લાઈનમાં ઊભા રહેવામાં થી છુટકારો મળશે તેમ જ સરળતાથી ખાતર મળવાના પગલે ખેતીમાં નોંધપાત્ર વધારો થઈ શકશે. હાલમાં 26, 696 બેગ જેટલો ખાતરનો જથ્થો હિંમતનગર થી જ વિતરિત કરવામાં આવશે જેમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ અને એ.એસ.પી રાસાયણિક ખાતર ની આજથી શરૂઆત કરાઈ છે આગામી સમયમાં જરૂરિયાત મુજબ હવેથી ખાતર સીધેસીધું સાબરકાંઠા અને અરવલ્લી માટે હિંમતનગર રેલવે સ્ટેશન સરળતાથી મળી શકશે
જોકે હિંમતનગર ખાતે ખાતર મળવાના પગલે જિલ્લાના ખેડૂતો વેપારીઓ તેમજ જીએસએફસીનાઅધિકારીઓએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો તેમજ ખેડૂતોએ કાળા બજાર કરનારાઓ માટે ટ્રેન લપડાક સમાન ગણાવી હતી....