Surat : અહેમદ પટેલની અંતિમ વિધિમાં રાહુલ ગાંધીએ હાજરી આપી

અહેમદ પટેલની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પિરામણ ગામ પહોંચ્યા હતા. જેમની સાથે સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ માટે પુષ્પગુચ્છ મોકલ્યા હતા. જે અહેમદ પટેલના પાર્થિવ દેહ પર અર્પણ કર્યાં હતાં.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનના પગલે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભરૂચના અંકલેશ્વર ખાતે દફનવિધિમાં હાજરી આપવા સવારે દિલ્હીથી ચાર્ટડ પ્લેન દ્વારા સુરત એરપોર્ટ આવી પહોંચ્યા હતાં. સુરત એરપોર્ટથી રાહુલ ગાંધી ઇનોવા કારમાં સવાર સવાર થઈને પિરામણ ગામ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી સ્વર્ગવાસ પામેલા અહેમદ પટેલની દફનવિધિમાં હાજર રહેવાના હતા. જ્યાં સુરત એરપોર્ટથી સીધા તેઓ બાયરોડ પિરામણ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધીના આગમનના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજીવ સાંતવ પરાંત હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ એરપોર્ટ પોહચ્યા હતાં.