Surat : તાર પર લપેટાયેલુ પતંગ કાઢવા જતા કારીગરને કરંટ લાગતા મોત

પાંડેસરા ખાતે આવેલ તુલસીધામ ઈન્ડસ્ટ્રીયલમાં રહેતો કારીગર મોડી સાંજે કારખાનાના ટેરેસ પરથી તાર પર લપેટાયેલુ પતંગ કાઢવા જતા કરંટ લાગતા મોત નિપજ્યુ હતું.
પાંડેસરા વિસ્તારમાં આવેલ તુલસીધામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતો અને 10થી 12 દિવસ પહેલા જ રોજગાર માટે સુરત આવેલા 28 વર્ષીય શુખવુર નિશરનું કારખાનામાં ઉત્તરાયણના દિવસે તાર પર લાગેલ પતંગ કાઢતી વેળાએ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વધુમાં મૃતક શુખવુરની એક દિકરી છે અને તે ખાતામાં ટીએફઓ મશીન પર કામ કરતો હોવાનું જાણવા મળ્યુ છે.