Surat : મહાપ્રભુનગરમાં રહેતા દરજીએ આર્થિક સંકડામણમાં કર્યો આપઘાત

લિંબાયત ખાતે આવેલ મહાપ્રભુનગરમાં રહેતા દરજીએ કામ બરોબર ન ચાલતા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
બાયતમાં દરજી યુવકે બેકારીથી કંટાળી ફાંસો ખાધો હતો. મહાપ્રભુનગરમાં રહેતા 23 વર્ષીય અકબર અંસારી દરજી હતો. અકબર બે દિવસથી તેના ભાઇઓને કહેતો હતો કે કામ બરોબર ચાલતુ નથી. બીજો ધંધો કરવો પડશે. શનિવારે અકબર ઘરે એકલો હતો. ભાઇઓએ ઘરે આવી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. દરવાજો નહીં ખુલતા મોબાઇલની લાઇટથી જોતા અકબરે ફાંસો ખાઇ લીધો હતો.