Surat : રોંગ સાઈડમાં આવેલી સિટીબસના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ

પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેથી બીઆરટીએસ રૂટમાંથી પસાર થઈ રહેલી એમ્બ્યુલન્સ રોંગ સાઈડમાં આવેલી સિટીબસના કારણે ફસાઈ તા લોકોમાં સિટી બસના ચાલક સામે રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં સીટી બસ અને બીઆરટીએસ બસને લઈ અનેકવાર અકસ્માતો સર્જાઈ ચુક્યા છે જો કે તેમ છતા સીટી બસ અને બીઆરટએસ બસના ચાલકો હજી લોકોના જીવ સાથે રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે પાંડેસરા દક્ષેશ્વર મંદિર વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પરથી દોડી રહેલી એમ્બ્યુલન્સ સામે સીટી બસ રોંગ સાઈડમાં આવી ગઈ હતી. જ્યારે પાછળથી સીટી બસ આવતા એમ્બ્યુલન્સ વચ્ચે ફસાઈ ગઈ હતી. જેને કારણે ગંભીર હાલતમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી. જેથી લોકોમાં સીટી બસના ચાલક સામે રોષ જોવા મળ્યો હતો અને તેની સામે કાર્યવાહીની પણ લોકોએ માંગ કરી હતી.