Surat : શ્રમજીવી રિક્ષા ચાલકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

પાંડેસરા ગીતા નગર ખાતે રહેતા શ્રમજીવી રિક્ષા ચાલકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
પાંડેસરા પોલીસ અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ કૈલાશ ચોકડી નજીક ગીતા નગરમાં રહેતા રીક્ષા ચાલક મોહિત દિરેન્દ્રકુમાર દુબેએ પોતાના ઘરે રાત્રીના સમયે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્નિ અને બાળકો 30મીએ જ પિયર ગયા હોય રિક્ષા ચાલકે આપઘાત કરી લીધુ હતું. જો કે કયા કારણોસર આપઘાત કર્યુ તે હજુ જાણી શકાયુ નથી. હાલ તો લાશને પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડી છે.