Surat : સપ્તશ્રુંગી માતાના મંદિર પાસે યુવાનના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી

પાંડેસરા સપ્તશ્રુંગી માતાના મંદિર પાસેથી પસાર થતા યુવાનના ખિસ્સામાંથી રીક્ષામાં આવેલા રીઢાઓ મોબાઈલ ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ગોવાલક રોડ પર આવેલ જગન્નાથ નગરમાં રહેતા રાજનકુમાર પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તે પાંડેસરા સપ્તશ્રુંગી માતાના મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે એક રીક્ષામાં આવેલા રીઢાઓ તેના ખિસ્સામાંથી મોંઘોદાટ મોબાઈલ ચોરી કરી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.