અરવલ્લી : માલપુરમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મેરેથોન દોડ યોજાઈ

અરવલ્લીના માલપુરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને ફિટ ઇન્ડિયાના ભાગ રૂપે માલપુર અને આસપાસના યુવાનો દ્વારા મેરેથોન દોડ યોજાઈ હતી જેમાં માલપુરના આશાસ્પદ યુવાનો દ્વારા માલપુર ચાર રસ્તા થી ચાર કિલોમીટર સુધી મેરેથોન યોજાઈ હતી જેમાં ઓલમ્પિક એથ્લેટ અને રેસ વોક ખેલાડી બાબુભાઈ પણુચા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અરવલ્લી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રાજન પ્રણામી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હર્ષ પંડ્યા સહિત મોટી સંખ્યા માં અગ્રણી કાર્યકરો અને સંગઠન પાંખ ઉપસ્થિત રહી હતી અને મેરેથોન મહત્વ અને કસરત થી તંદુરસ્ત આરોગ્ય વિશે ટિપ્સ આપી હતી આ મેરેથોનમાં તમામ વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવા માં આવ્યા હતા