કાંકરેજ : વડા ગામે જીવન તીર્થ સ્કુલ ઓન વિલ્સ દ્વારા બાળકોને શિક્ષણ

કાંકરેજ તાલુકાના વડા ગામે જીવન તીર્થ સંસ્થા દ્વારા બાળકો ને શિક્ષણ આપવામાં આવ્યું હતું જેમાં બાળકોને કલા સાથે જ્ઞાન આપવામાં આવે છે તેમજ તેમજ રમત ગમત અને ચિત્રકામ કરવામાં આવે છે જેમાં પ્રાથમિક શાળાના બાળકોને એક મહોલ્લા માં ભેગા કરીને આ શિક્ષણ આપવામાં આવે છે. જેમાં જીવન તીર્થ સંસ્થા છેલ્લા બાર વર્ષ થી કામ કરે છે જેમાં 800 જેટલા બાળકોને શિક્ષણ પૂરું પાડે છે તેમજ બાળકોને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું .તેમજ ઘરડા અને વિધવાઓને પણ જરૂરિયાત પ્રમાણે સેવાઓ પૂરી પાડે છે. જેમાં જીવન તીર્થ સંસ્થા માં ફરજ બજાવતા શ્રી કમલેશભાઈ પરમાર બીજા નવ જેટલા મિત્રો મળી ને સેવાનું કામ સફળ બનાવી રહ્યા છે.