ખાનગી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ પાલિકામાં બિલ પાસ કરાવવાનું કૌભાંડ શું છે વાંચો।

ખાનગી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ પાલિકામાં બિલ પાસ કરાવવાનું કૌભાંડ શું છે વાંચો।

ગુજરાતમાં કોરોનાના દર્દીઓને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અમદાવાદની 50 જેટલી ખાનગી હોસ્પિટલો સાથે કરાર કર્યા છે જેમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનાર દર્દીઓએ ફાઈલ અને બિલો ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદ પટેલ પાસે મંજૂર કરાવવા પડે છે. અગાઉ સીમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ ચૂકેલા દર્દીઓના રૂ.1.50 કરોડના બિલ પાસ કરાવવાના બાકી હતા તે બિલ પાસ કરાવવા માટે અરવિંદ પટેલ વતી બિલની રકમના 10 ટકા લાંચની માંગણી કરનાર ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રા વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે.
કમિશન પેટે લાંચ મંગાવાને લઇ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીની ટીમે કાગળોની ખરાઈ કરી હતી જેમાં ખરેખર ડોક્ટર નરેશ મલ્હોત્રાએ બિલ પાસ કરાવવા માટે અરવિંદ પટેલ વતી 10 ટકા પૈસા માંગ્યા હોવાનું પૂરવાર થયું હતું. જેના આધારે એસીબીએ ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રા વિરુદ્ધ ડિમાન્ડનો કેસ કર્યો છે તેમજ આ કેસમાં ડેપ્યુટી મ્યુનિસિંપલ હેલ્થ ઓફિસર ડોકટર અરવિંદ પટેલ વતી ડોકટર નરેશ મલ્હોત્રાએ કમિશન માંગ્યુ હોવાની ફરિયાદ થઈ છે જેમાં ડોક્ટર અરવિંદ પટેલ સામેલ છે કે નહીં તેની એસીબી તપાસ કરી રહી છે.
ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રા પીપીઈ કિટ પાલિકાની કચરા ગાડીમાં નાખી દેતા હતા જેનો રહીશોએ વિરોધ કર્યો હતો. આ ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં આવતા પાલિકાએ આદિત્ય હોસ્પિટલને રૂ.5 લાખનો દંડ ફટકાર્યો હતો તેમજ ડોકટર નરેશ મલ્હોત્રાની આદિત્ય હોસ્પિટલ ખોટી રીતે વીમા પકવવાના રેકેટમાં પણ સંડોવાયેલી હતી. પેશન્ટ દાખલ નહીં હોવા છતાં તેમના મેડિકલ બીલ પાસ કરીને મેડિક્લેઈમ પાસ કરવાનું કૌભાંડ થતું હતું. ઘણી ખાનગી વીમા કંપનીઓએ ડો. મલ્હોત્રાની આદિત્ય હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી હતી.