ગીર સોમનાથ : ગીરની કેસર કેરીનો 60 ટકાથી વધુનો પાક નિષ્ફળ

ગીરની ત્રણ વસ્તું વિશ્વમાંભરમાં પ્રખ્યાત છે, 1-એશિયાટીક સિંહ 2-કેસર કેરી અને 3- સોરઠનો ગોળ. ત્યારે આ ત્રણે વસ્તું કઠણાઈનો સામનો કરી રહ્યા છે. ત્યારે વાત કેસર કેરીની કરીએ તો, કેસર કેરીનું ઊત્પાદન છેલ્લા 6 થી 7 વર્ષથી ક્રમશ ઘટી રહ્યું છે. ત્યારે કેરીનાં બગીચાઓ ધરાવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જેમાં આ વર્ષનાં પ્રથમ બગીચાઓમાં ભારે મોર આવતાં ખેડુતો રાજી થયા હતા. પરંતુ થોડા સમય પુર્વે હવામાનનાં પલ્ટાએ કેરીના બગીચાઓમાં આવેલા 60 ટકા મોર બળીને રાખ થયા તો નાની કેરી આપો આપ ખરી જતાં વર્તમાન સમયમાં 40 ટકા કેરી હાલ જોવા મળી રહી છે.
સામાન્ય નિયમ પ્રમાણે ઉત્પાદન ઘટતા ભાવો ઊંચા જવાની પુરી સંભાવનાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
કેસર કેરીનો પાક આ વખતે આખતર-પાછતર છે. ઓછા ઉત્પાદનને કારણે આ વખતે કેરીનાં ભાવ પણ ઊંચા રહેશે,
તાલાળા, કેસર કેરીનાં હોલસેલ વેપારી, કાળુભાઈ બોરીચા ના જણાવ્યા પ્રમાણે, કેરીનાં પાકને જાણે હવામાનનું ગ્રહણ લાગ્યું હોય તેમ સતત કેરીનો પાક ધટી રહ્યો છે. ગ્લોબલવોર્મીંગ ની માઠી અસર કેસર કેરી ને પહોંચી છે.
ગયા વર્ષની વાત કરીએ તો તાલાળા યાર્ડમાં 8 થી 9 લાખ કેરીનાં બોક્ષ આવ્યા હતા. જ્યારે આ વર્ષે 5થી 6 લાખ કેરીનાં બોક્ષ આવવાની સંભાવના છે.
કેસર કેરીનો પાક આ વર્ષે 60 થી 70 ટકા નિષ્ફળ જતાં કેસર બજારમાં ઓછી આવશે. આગામી કેરીની સિઝન 25 એપ્રિલ આસપાસ શરૂ થશે. આ સાથે 20 થી 25 દિવસ ચાલે તેવું વર્તમાન સ્થિતિ પરથી લાગી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પરીણામે ગયા વર્ષે જે ફસ્ટ ક્વોલિટીની કેરી 400થી 500માં મળતી તે આ વર્ષે 600થી 700 રૂપિયામાં વેચાશે.જ્યારે સામાન્ય કેટેગરીની કેરી ગયા વર્ષે 200 રૂપિયામાં 10 કીલોનું બોક્સ વેચાતું તે આ વર્ષે 300 થી 500 રૂપિયામાં વેચાતા સામાન્ય વર્ગને આ વર્ષે ઊંચા ભાવનાં કારણે કેરી કડવી લાગશે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની આબાદી અને સમૃધ્ધિમાં જેનું અગ્રીમ અને સર્વોત્તમ યોગદાન છે તે ગીર પંથકનું અમૃતફળ કેસર કેરીના પાકને ચાલુ વર્ષે વળતર ચુકવવાની માંગણી કરાય છે.
ગીરની પ્રખ્યાત કેસર કેરીને આ વર્ષે વાતાવરણે વ્યાપક અસર કરી હોય છે જેના થી 70 ટકા જેટલો કેસર કેરીનો પાક નાશ પામ્યો છે. અને જેમાં ચાલુ વર્ષો કેસર કેરીના ઝાડ પર ઈયળ, મઘીયો અને નાની જીવાતનાં કારણે વ્યાપક પ્રમાણમાં પાકને મોટો ફટકો પડ્યો છે. તાલાળાના કિસાન સંઘ પ્રમુખ, પ્રવીણભાઈ સોડવડિયા જણાવે છે કે, તાલાળા પંથકની જીવાદોરી સમાન કેસર કેરી નાશ પામતા ભારતીય કિસાન સંઘ દ્વારા રાજય સરકાર ને આવેદન પત્ર પાઠવી કેરીના ઉત્પાદક ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરાય છે.