ચોટીલા : ટી.એમ.સી.પક્ષ કાર્યકર્તાઓ દ્વારા હુમલા થઈ રહ્યાનો આક્ષેપ

ચોટીલા ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો કાર્યકરો દ્વારા હાલ માં પશ્ચિમ બંગાળમાં જે રીતે મમતા બેનરજી ના પક્ષ ના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળ ના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ઉપર હિંસક હુમલા કરી તેમને ઘાયલ કરવામાં આવી રહ્યા છે સાથે પશ્ચિમ બંગાળ માં ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલયો માં તોડફોડ કરી નુકશાન કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં ચોટીલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોટીલા રામચોક ખાતે મમતા બેનરજી અને તેના પક્ષ વિરોધી બેનરો લઈ જોરદાર સૂત્રો પોકારી ઘરણા નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ,ચોટીલા શહેર ભાજપ મહામંત્રી શૈલેષ રાજવીર,અજય સામંડ, વનરાજભાઈ ધાધલ સહિત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા બેનેરો સાથે ઘરણા કાર્યક્રમમાં જોડાયા હતા