જૂનાગઢ : ગણેશ વિસર્જન સમયે ડૂબેલા યુવકની લાશ મળી આવી

વંથલી ઓજતમાં ગઈ કાલે ગણેશ વિસર્જન સમયે ડૂબેલા 25 વર્ષીય યુવક ની ડેડ બોડી કણજા અને નાવડાની વચ્ચે નદી કાંઠેથી મળી.
ગઇ કાલે મોડે સુધી ડૂબેલા યુવક ની ડેડબોડી ન મળતા ફાયર તેમજ એન.ડી.આર.એફ..ની ટિમ સવાર થી પાણીમાં ગોતવા ની મેહેનત કરી રહી હતી ત્યારે 22 કલાક બાદ નાવડા અને કણજા ની વચ્ચે નદી કાંઠે ડેડ બોડી તરતી હોવાની જાણ તંત્ર ને થતા તંત્ર ત્યાં પહોંચતા વંથલી જી આર ડી માં ફરજ બજાવતા નરોત્તમ ભાઈ પરમાર તંત્ર ની અનુમતિ લઇ ડેડ બોડી બહાર કાઢી હાલ પોલીસ દવારા કાર્યવાહી હાથ ધરવા માં આવેલ અને વંથલી સિવિલ ખાતે PM અર્થે મોકલવામાં આવેલ છે