જામનગર : એલ. જી. ને પાવર આપે તેવા બીલ સામે આપ દ્વારા વિરોધ

કાલાવડ શહેર તેમજ તાલુકા આમ આદમી પાર્ટી દ્રારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને એલ.જી. ને પાવર આપે તેવા બીલ પસાર કરવા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ, વિરોધ કરેલ તમામ હોદ્દેદારોની કાલાવડ ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.
દિલ્હી સરકારને બીન લોકતાંત્રિક રીતે નબળી પાડીને લોકશાહીનું હનન કરવામાં આવે છે તેમજ એલ.જી. ને પાવર આપે તેવા બીલ પસાર કરવા સામે વિરોધ પ્રદર્શન કરવા માટે પ્રદેશ કાર્યાલય આમ આદમી પાર્ટીની સુચનાથી આજરોજ કાલાવડ તાલુકા અને શહેરના આમ આદમી પાર્ટીના તમામ સદસ્યો હાજર રહીને કાલાવડ શહેરના રાજકોટ ચોકડી પાસે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરના પુતળાને હારતોળા કરીને પાર્ટીએ આપેલ કાર્યક્રમની રૂપરેખા અને સુચના મુજબ વિરોધ પ્રદર્શન કરેલ હતો. વિરોધ કરી રહેલા આમ આદમીના આગેવાનો પ્રમુખશ્રી દેવરાજ વૈષ્ણવ, એડવોકેટ જે. બી. લશ્કરી, એડવોકેટ જે. એમ. નસીત, કૌશિક કાનાણી, બેરાજાના તાલુકા પંચાયતના સદસ્ય દયાબેન મકવાણા, જેરામભાઈ નસીત, રવી ઘાડીયા, વિનોદગીરી ગોસ્વામી, રમણીકભાઈ રાઠોડ, પંકજભાઈ નિમાવત વગેરેની કાલાવડ ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કાલાવડ તાલુકા આમ આદમી પાર્ટી દ્રારા એલ.જી. ને પાવર આપે તેવા બીલ પસાર કરવા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ, ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.