ડભોઇ : પેન્શનર મંડળના કર્મનિષ્ટ સહમંત્રીનું અવસાન

ડભોઇ તાલુકા પેન્શનર મંડળ ના કર્મનિષ્ટ સહમંત્રી નું અવસાન થતાં સંસ્થા ના પ્રમુખ અને સભાસદો ની હાજરી માં પેન્શનર મંડળ ના કાર્યાલય ખાતે તેની છબી ને ફૂલહાલ કરી બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ડભોઇ તાલુકા પેન્શનર મંડળ માં વર્ષ 2006 થી વર્ષ 2018 અને ત્યાર બાદ અત્યાર સુધી સતત કાર્યરત અને મંડળ ને માટે કામ કરી સહમંત્રી તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ પરમાર નું તા.26મી એપ્રીલ ના રોજ અવશાન થતાં સંસ્થા ને મોટી ખોટ પડી હતી. આજ રોજ પ્રમુખ ઠાકોરભાઈ પટેલ, ઉપપ્રમુખ કુમુદચંદ્ર ત્રિવેદી મહામંત્રી રાજેન્દ્રભાઈ પુરોહિત, ચતુરભાઈ પટેલ, પી.સી.પટેલ, મનોજભાઈ ભટ્ટ સહિત સભાસદો દ્વારા કાનજીભાઈ ની છબી ને ફૂલ હાર અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને તેમની આત્મનાને પ્રભુ શાંતી અર્પે તે માટે બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તો કોરોના મહામારી ને ધ્યાન માં રાખી મર્યાદિત સંખ્યામાં સભાસદો ની હાજરી માં આ કાર્યક્રમ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનેટાઇઝર સાથે કરવામાં આવ્યો હતો.