ડભોઇ : વોર્ડ નંબર 3 ના કોંગ્રેસ પક્ષના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ડભોઇ વોર્ડ નંબર 3 ના કોંગ્રેસ પક્ષના મધ્યસ્થ કાર્યયાલય નું ઉદ્ઘાટન બદ્રીનારાયણ મંદિર ના યુવવા પૂજારી સંદીપભાઈ મહારાજ અને અવધૂત મહારાજ તેમજ મુસ્લીમ સમાજ ના મોઇનબાપુ પટેલવાગા ખાતે કરવામાં આવ્યું હતું. આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર નો પ્રારંભ કર્યો હતો.
ડભોઇ વોર્ડ નંબર 3 માં કોંગ્રેસ પક્ષ દ્વારા બહુમતી થી વિજય બનવા ના પ્રયાસો સાથે મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન પટેલવાગા ખાતે કરવામાં આવ્યું હતું આ વોર્ડ માથી કોંગ્રેસ પક્ષના સમરભાઈ રાજેન્દ્રભાઈ શાહ દલાલ, શીતલબેન પિન્ટુભાઈ પટેલ, મુમતાજબાનું સજીદમહેદી હોટલવાલા અને મોહસીન ઐયુબભાઈ ઘાંચીએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આ વિસ્તાર માં ગત વર્ષે પણ કોંગ્રેસ પક્ષ ને સૌથી વધુ મત મળ્યા હતા પટેલ વાગા ખાતે મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન યુવા પૂજારી સંદીપભાઈ મહારાજ, અવધૂતમહારાજ અને મુસ્લિમ સમાજ ના મોઈનબાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે ગુજરાતી ગીતો માં પોતાની પ્રતિભા રજૂ કરનાર એવા બાળ કલાકાર થિઝમ શાહ દ્વારા મોટી સંખ્યા માં ઉપસ્થીત સમર્થકો ને મત આપવા જાગૃતી માટે માર્ગ દર્શન આપ્યું હતું અને કઈ રીતે વોટ આપવો તે પણ સમજાવ્યું હતું.