દિયોદર : મીની અંબાજી સણાદર ધામ ખાતે કેન્દ્રીય મંત્રીએ દર્શન કર્યા

બનાસકાંઠા જિલ્લા ના યાત્રાધામ અંબાજી થી સોમવાર ના રોજ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને થી જન આશીર્વાદ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આ યાત્રા જિલ્લા ના વિવિધ શહેર માં પ્રજા ના આશીર્વાદ મેળવી રહી છે જેમાં આ જન આશીર્વાદ યાત્રા દિયોદર પોહચતા યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મીની અંબાજી સણાદર ધામ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે માં અંબા ના દર્શન કર્યા હતા જેમાં દિયોદર તાલુકા ભાજપ દ્વારા પણ મંત્રી નું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે બીજી તરફ ઠાકોર બોડીગ ખાતે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઠાકોર બોડીગ ખાતે સભા ને સંબોધતા દેવુસિંહ ચૌહાણે જણાવેલ કે જન આશીર્વાદ યાત્રા નો હેતુ જનતા ના આશીર્વાદ મેળવવા નો છે જેથી અમો એ જન આશીર્વાદ યાત્રા નો પ્રારંભ કર્યો આ પ્રસંગે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ,દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા ,તા પંચાયત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા, ઉપપ્રમુખ હરસંગજી ચૌહાણ મહામંત્રી જગદીશભાઈ ચૌધરી,માર્કેટ યાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ તરક, ભવાનજી ઠાકોર,દશરથભાઈ દેસાઈ,ખેંગારભાઈ રાજપૂત,વગેરે આગેવનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા